Home AAP સુરત આમ આદમી પાર્ટીને ફરી લાગ્યો ઝટકો : પાર્ટીના વધુ બે કોર્પોરેટરો...

સુરત આમ આદમી પાર્ટીને ફરી લાગ્યો ઝટકો : પાર્ટીના વધુ બે કોર્પોરેટરો ભાજપમાં જોડાયા…

0

Published by : Disha PJB

સુરત આમ આદમી પાર્ટીના વધુ બે કોર્પોરેટરો ભાજપમાં જોડાયા. રાજેશ મોરડીયા અને કનુ ગેડીયા નામના બે કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. છેલ્લા 6 દિવસમાં જ 12 જેટલાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાયા.

વોર્ડ નંબર 3ના આમ આદમી પાટીના કોર્પોરેટર કનુ ગેડિયા અને વોર્ડ નંબર 2ના આમ આદમી પાટીના
કોર્પોરેટર અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધીમાં 12 કોર્પોરેટરે AAPનો છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. આથી આમ આદમી પાર્ટી સફાયા તરફ હોવાની ચર્ચા લોકોમાં ઉઠી રહી છે.

આ બાબતે સુરત ભાજપ દ્વારા સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફ્રન્સ કરવામાં આવી હતી તેમાં નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે, રાજીનામા આપેલ કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ પ્રાપ્ત કર્યું છે. આ બંને નેતાઓએ એવું સ્વીકાર્યું છે કે, ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશનો વિકાસ કરવાની નીતિ છે. પીએમ મોદીની વિશ્વમાં લોકપ્રિયતા છે. ગુજરાત સરકારની અને સુરત મહાનગર પાલિકાની ઉત્તમ કામગીરી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે મજબૂતાઈથી આગળ વધી રહી છે તેમના પથ પર ચાલવા માટે રાષ્ટ્રહિતને સર્વોપરી રહીને આ બંને નેતાઓ ભાજપમાં જોડાયા છે.

https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/VID-20230421-WA0035.mp4

આ બાબતે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, રૂપિયાની લાલચમાં બધા ભાજપમાં જોડાય છે. ભાજપ આપથી ડરી રહી હોવાથી કપટ કરી રહી છે. ભાજપ પક્ષ આપને ગેમે તે રીતે તોડવા માગે છે.જે લોકો લાલચુ છે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. એક સાથે ગુજરાતમાં 40 લાખ મત લાવવા એ ભાજપ માટે શક્ય બન્યું હોય તેવું તેઓ વિશ્વાસ નથી કરી શકતા જેથી હવે તેઓ સામ દામ દંડથી આ પ્રકારે અમારા કોર્પોરેટરોને લાલચ આપી રહ્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version