Published By : Parul Patel
- ✍️ભરૂચના પ્રતિષ્ઠિત સંસ્કાર ભારતી ટ્રસ્ટના સંચાલન અંગે, સંચાલક અને વહીવટદાર ટ્રસ્ટીઓ સામે ઉઠેલા વેધક સવાલો માટે ચેનલ નર્મદાએ પ્રત્યેક ટ્રસ્ટીઓને એક પત્ર સાથે કરી તાકીદની વિનંતી…
- ✍️ આવડી મોટી, સફળ, વિશાળ જનહિતની શિક્ષણ સંસ્થાને જરૂર છે: એક યુવા, સક્રિય અને સંસ્કારી, સદ્ધર ટ્રસ્ટીગણ ટીમ-નેતૃત્વની…
- ✍️ ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી “102 વર્ષના યુવાન પુષ્પા મેડમને” ભયાનક નારાજગી, અપમાનિત સ્થિતિમાં નિવૃત કરાયાની પ્રબળ બનતી લાગણી…!!!

છેલ્લો બ્લોગ અને એ પહેલા કેટલાક ‘ન્યૂઝ અપડેટ’ ગ્રુપના સમાચારોમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટમાં પ્રતિષ્ઠિત 10-11 મહાનુભાવો દ્વારા સ્થાપિત, પણ ગણતરીના એકાદ-બે સક્રિય ટ્રસ્ટીઓની મર્યાદિત સક્રિયતાના કારણે, અને તે પણ જ્યાં સુધી સ્થાપના કાળથી (1970)થી સક્રિય રહેલા અને છેલ્લા અનિચ્છાએ પણ, ભારે નારાજગી અને લગભગ અપમાનિત કક્ષાની, તદ્દન બિનઅનુભવી, બિન શૈક્ષણિક લાયકાતો ધરાવનાર સંચાલક મંડળ- ટ્રસ્ટી મંડળ દ્વારા કોઈ ચોક્કસ હિત અને હેતુસર લાદી દેવાયેલા-નિયુક્ત કરાયેલા હોવાનું મનાતા સંચાલકની એક પક્ષીય મનસ્વીતા, એક પરિવારના જ સભ્ય એવા બિનઅનુભવી એડમિસ્ટ્રેટરના અસહયોગ, અપમાનભર્યા વર્તનથી કંટાળીને રાજીનામુ ધરી દેનાર, સહુના અતિ પ્રિય અને સન્માનિત એવા યુવાનોને પણ શરમાવે એવો તરવરાટ, શિક્ષણ પ્રત્યેનું આજીવન સમર્પણ ધરાવનાર, આખા ભરૂચનું આજીવન ગૌરવ એવા પુષ્પાબેન પટેલને જ્યારે હું રૂબરૂ ત્રણવાર મળ્યો ત્યારે કુલવંત મણવર અને ટ્રસ્ટીઓ, એમની સક્રિયતા, સંસ્થા પ્રત્યેના એમના વિચારો જાણ્યા તો તે રાત્રે હું શાંતિથી સુઈ ના શક્યો, એટલું જ નહીં, ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓ ગમે તેટલા ધનવાન, પ્રતિષ્ઠિત હોય તેમની નિર્બળતાઓ, નિષ્ક્રિયતાઓ અને આવનાર ભવિષ્યમાં પણ શિક્ષણ ક્ષેત્રમાંથી માત્ર રૂપિયો કમાવવાની કે અહમ સંતોષવાની ભાવના જ જો હોય તો, એની સામે બાથ ભીડવાનો મેં નીર્ધાર કર્યો…પુષ્પામેડમ તો સંસ્થાને આજે પણ એટલા જ વફાદાર, સમર્પિત…એટલે ભીની આંખોના ખૂણે પણ બહુ અલ્પ બોલ્યા, પણ એમનું મૌન ઘણું બધું બોલી ગયું…મેં ફાઈલો-પેપર્સ, હકીકતો જોઈ-તપાસી, આ સંસ્થાના 25 થી વધુ ઘનિષ્ઠ સંબંધ ધરાવતી અન્ય તટસ્થ વ્યક્તિઓને રૂબરૂ, મોબાઈલ પર સંપર્ક કર્યા…સાંભળ્યા, પુરાવાઓ લીધા…આ સંસ્થામાં મારા ખુદના બે દીકરા, જીગર દવે, મારા પાર્ટનર્સની બે દીકરીઓ ચૈતાલી-વૈશાલી ભણી છે, સફળ જીવન જીવી રહ્યાનો ખુશીના ભાર સાથે, સંસ્થાનું ઋણ ચૂકવવાનો નિર્ધાર કરી મેં બ્લોગ શ્રેણી લખવા મન મનાવ્યું…હજુ સોમવારે જ એક પ્રેમાળ આદર પત્ર લખી તમામ આદરણીય ટ્રસ્ટીઓને ખેદ સાથે પ્રાર્થના કરી,ર જી.પત્રો મોકલ્યા છે…એક માત્ર 80 વર્ષે પણ ‘અકળ’ ઇનરેસ્ટ લઈ વહીવટમાં મથતા રહેતા જુગલકિશોરજી રુંગટાજીના દીકરા પ્રશાંત સાથે પણ હું ઘણો ઘર્ષણમાં રહ્યો, પણ ભરૂચના માત્ર લક્ષ્મીપતી જ નહીં, લક્ષ્મીનારાયણ જેવા સહુના વંદનીય ભરતભાઇ શ્રોફને રબરું મળ્યો, સામે લઢવાના આશીર્વાદ માગ્યા…તેમણે ભરૂચને ઘણું આપ્યું છે. રોટરીમાં પણ એમનું યશસ્વી યોગદાન રહ્યું છે…તો કમલેશભાઈ ઉદાણી પણ આવાજ બહુ પ્રતિભાશાળી સમાજ સેવક મનાય છે…એમને પણ કહ્યું, કે નવા આપનાજ વારસદારો, કલ્પેશ શ્રોફ, મોક્ષ ઉદાણી સહિતની યુવાન ટીમને હવે સંસ્કારભારતી ટ્રસ્ટના સંચાલનમાં સક્રિય કરો…🙏🏻🙏🏻🙏🏻 ભરૂચના વિકાસમાં હવે યુવા લોહી અનિવાર્ય છે.
મેં સહુને લખેલા પત્રમાં નિષ્ક્રિય ટ્રસ્ટીઓને સાદર જગ્યા ખાલી કરી, નવી પેઢીને નેતૃત્વ સોંપવાની વાત સાથે ન્યાયિક સંચાલન, ઉભી થતી સમસ્યાઓના સાનુકૂળ નિકાલનું પણ લખ્યું છે…મને ખબર છે બે-ત્રણમાંથી બીજા કોઈ ટ્રસ્ટીઓને કોઈને કોઈ ખાસ વિશેષ રસ નથી…પણ મારે મારુ કર્તવ્ય પાલન તો કરવું જ પડશે…જોઉં છું, સર્વજન હિતમાં કોણ કેટલું ને કેવું સાચું બોલે છે, સારું કરે છે, લડત તો લાંબી ચાલશે જ…
હા,પ્રશાંત રુઇઆએ એટલી તો ખાતરી લેખિત આપવાની તૈયારી બતાવી છે કે અહીં શોપિંગ સેન્ટર તો નહીં જ બને, પણ ખાટલે મોટી ખોડ એ છે, કે એ કોઈ હોદ્દા પર નથી. મેં ટ્રસ્ટીઓને લખેલ પત્ર અહીં જાહેરમાં મૂકી, મારે એક જ વાતોનો પુરાવર્તન દોષ નથી કરવો, પણ એક પત્ર મારા હાથમાં આવ્યો અને એ વાંચતા એટલું દર્દ થયું કે જેમણે આ પત્ર લખ્યો, એ જ ચેરમેન/પ્રેસિડન્ટ લક્ષ્મી નિવાસ રૂંગટાજીએ જ આ મહિલા પુષ્પાબેનનું આત્મ સન્માન, આત્મ ગૌરવનું ધ્યાન રાખી, જે કર્મપથ-કર્તવ્યપથની મોટી મોટી વાતો કરી, એમને ભવ્યાતિભવ્ય વિદાય તો ઠીક, ખુદ રૂંગટા પરિવારને છાજે એવી સન્માનજનક વિદાય પણ ના જ આપી..એ તો ઠીક, મારી વાતથી અશાંત થયેલા જુગલજીના પુત્ર પ્રશાંતે તો બચાવમાં કહ્યું કે મેડમ એ જ ના પાડી હતી, મારી પાસે આ સન્માનીય મેડમનું દર્દ રેકોર્ડડ છે, પણ એમની ઈચ્છા વિરુદ્ધ હું કંઈજ નહીં કરું…અહીં L. B. Rungtaજીનો અક્ષરસહ પત્ર રજૂ કરું છું…સાથે થોડી કૉમેન્ટ્સ,પ્રશ્નો…
પ્રતિ
કુ. પુષ્પાબેન સી. પટેલ
69, પટેલ સોસાયટી,
ભરૂચ 392002
વિષય: તા. 12.07.2022 ના રોજનો તમારો રાજીનામું પત્ર
પ્રિય પુષ્પાબેન,
અમને તમારો 12મી જુલાઈ 2022નો પત્ર મળ્યો છે.
તમે 1970 થી ભરૂચ ખાતે અમારી શાળા “રુંગટા વિદ્યા ભવન” માટે માનદ ધોરણે અને સંસ્કાર ભારતી ટ્રસ્ટના નેજા હેઠળ સંસ્કાર વિદ્યા ભવનમાં 1995થી સમર્પિતપણે કાર્ય કરી રહ્યાં છો. (1995 થી અને 52 વર્ષ??!!) 52 વર્ષના સમયગાળામાં તમે તમારો અમૂલ્ય સમય આપ્યો છે. અને શાળાઓની સુખાકારી માટે ઊર્જા. તમારી સાથે સતત પ્રયત્નો અને માર્ગદર્શનથી શાળા, શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં સફળતાની નવીનતા ઊંચાઈ સુધી પહોંચી છે. (શુ એ ફાઉન્ડર ટ્રસ્ટી નહતા??)
તમે અમારા બધા માટે અને અમારી શાળામાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓની પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત છો. (ટ્રસ્ટી મહોદયશ્રી, ક્યારે આપે લીધેલી પ્રેરણાઓનું પિયુષ, ભરૂચ સાથે ઓડીઓ/વિડીઓ કલીપ/પુસ્તક રૂપે અર્પિત કરશો??!!)
તમારા શૈક્ષણિક નેતૃત્વ હેઠળ અમારી શાળાઓમાંથી 20,000 થી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને તેમના જીવનમાં સારી રીતે સ્થાપિત થયા છે.
તમારી 100 વર્ષની ઉંમરે પણ તમે તમારી જવાબદારીઓ ખૂબ જ ઉત્સાહથી નિભાવી છે. (શુ બીજા ટ્રસ્ટીઓ એ 75-80 એ આવો, આટલો પુરુષાર્થ કર્યો છે, યોગદાન આપ્યું છે?? તો પણ ટ્રસ્ટી પદે કેમ ચાલુ?? વારસાગત છે, એટલે?? ને 100 વર્ષ થયાં, પુષ્પાબેને ના-રાજીનામુ આપ્યું ‘અને બધાએ હર્ષભેર સ્વીકારી લીધું ?? કોના અને ક્યાં કયાં હિતમાં ??)
અસંખ્ય વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવવામાં તમારી માનદ સેવાઓ અને દ્રષ્ટિ માટે અમે બધા અત્યંત આભારી છીએ. (એક બેસ્ટ, સહૃદયી અને યાદગાર સહયોગી ફાઉન્ડર સાથી વિદાયના આ મહિલા વિભૂતિ હક્કદાર નહતા??એમાં એમની સંમતિની શી જરૂર? સંસ્થાનો પ્રેમનો ઉભરો ક્યાં??) અમે તમારા પ્રશંસનીય નેતૃત્વને સલામ કરીએ છીએ અને છેલ્લા 52 વર્ષના ગાળામાં શાળાઓને સરળતાથી ચલાવવા માટે હંમેશા તમારા ઋણી રહીશું. (એ ઋણ કુલવંત મારવલ એ કેવી રીતે ચૂક્યું એ પૂછ્યું હતું?? જન્મ દિવસ ઉજવીને ?? તપાસ કરી હતી?? એમની છેલ્લી બે હાથ જોડી મહિલા બેંકમાં મુકેલી 3 કરોડની FD અંગેની એમની ઈચ્છા પૂરી કોણે અને કેમ ના કરી?? પ્રિ મેચ્યોર્ડ FD તોડી??)
અમે શ્રીમતી નિક્કીબહેન મહેતાની છેલ્લા 27 વર્ષની નિષ્ઠાવાન મહેનત અને માનદ સેવાઓની પણ ખૂબ પ્રશંસા કરીએ છીએ, (ભરૂચ જાણતું નહીં હોય કે આ ટ્રસ્ટે એમને પણ વિદાય કરી દીધા છે) જેમના વિના ઝાડેશ્વરની શાળાઓ આજે જે સ્તરે છે તે સ્તરે પહોંચવું શક્ય ન હતું. અમે તમારા બંનેના હંમેશ માટે ખૂબ જ બંધાયેલા રહીશું. (તમારા પ્રતિભાવ-આદર જ એનો પુરાવો બની રહેશે)
અમે સંસ્કાર ભારતી ટ્રસ્ટ, ભરૂચના મેનેજિંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટી પદ પરથી તમારું રાજીનામું સ્વીકારીએ છીએ અને તે 20મી જુલાઈ 2022ના રોજ યોજાયેલી સંસ્કાર ભારતી ટ્રસ્ટની છેલ્લી ટ્રસ્ટની બેઠકમાં સ્વીકારવામાં આવ્યું છે. (8 જ દિવસમાં રાજીનામુ સ્વીકૃત..?!!આ બેઠકની એજન્ડા-ઠરાવ કોપી આપવાની પણ તસ્દી વિદાય લેતા ટ્રસ્ટી માટે લીધી હતી?? મેડમને હાજર રાખ્યા હતા, સાંભળ્યા હતા??)
“તમને વિનંતી ( કે આદેશ???) કરવામાં આવે છે કે તમારી પાસે પડેલા તમામ જૂના રેકોર્ડ્સ (ટ્રસ્ટ મીટિંગ રજિસ્ટર, ટ્રસ્ટ મિનિટ્સ બુક વગેરે) શ્રી મધુસુદન રૂંગટા – નવા મેનેજિંગ ટ્રસ્ટી છે”, તેમને સોંપી દો.(શબ્દોમાં કયો ભાવ વ્યક્ત થાય છે, એ મારા પ્રિય બ્લોગ રીડર્સ સ્વયં ફિલ કરે, ને કૉમેન્ટ પણ કરે) અમે ભવિષ્યમાં પણ શાળાઓની સુખાકારી માટે તમારી મૂલ્યવાન સલાહ અને માર્ગદર્શન માંગીશું. (plz જરા આ કુલવંતજીના મુદ્દે જ એક વાર ‘ઇન કેમેરા’ સલાહ અને માર્ગદર્શન માંગો એવી આપ કહો તો સહી ઝુંબેશ કરીને મોકલીએ?? કરશો??)
સ્નેહભર્યા સાદર સાથે
આપનો
લક્ષ્મીનિવાસ બી રૂંગટા અધ્યક્ષ
સંસ્કાર ભારતી ટ્રસ્ટ, ભરૂચ.
(આ મૂળ પત્ર અંગ્રેજી માં છે, મેં ટ્રાન્સલેશન કરાવ્યું-મુકાવ્યું છે)🙏🏻
મેં ક્ષમાયાચના સાથે આ પત્રમાં જ કેટલાક પ્રશ્નો મુક્યા છે…પુષ્પા બેન કદાચ શિક્ષણની અજાત શત્રુ,આખા ભરૂચની-સર્વની સન્માનીય વ્યક્તિ છે…છેલ્લે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાજી ના હસ્તે અમે એમનું સન્માન કર્યું, એની કલીપ,એમાં મંત્રીશ્રી નો જવાબ,મેડમનો સન્માન નો પ્રતિભાવ શબ્દ શબ્દ સાંભળજો…અને હા,હું આ બ્લોગમાં અપીલ અને જાહેરાત કરું છું કે બનશે એટલું વહેલું,આપણે ભરુચીઓ, જાતે આ લોખન્ડી મહિલાનું જો ટ્રસ્ટ મંજૂરી આપશે તો એમના જ કેમ્પસ માં,એમની સ્મૃતિઓ સાથે,નહીંતર કોઈ મોટા જાહેર સ્થળે ભરૂચ જીવનભર યાદ રાખે એવું જાહેર સન્માન રૂંગટા પરિવાર વતી આપણે સહુ કરીશું,બધો ખર્ચો આપણો,હું અને જો બીજાઓ-પુષ્પા બહેનના શિષ્યો જોડાવા ઇચ્છતા હશે તો તેઓ ને પણ સાથે લઈને કરીશું..એક વચન એમણે મસ્તી મસ્તીમાં મારી પાસે માંગ્યું છે,એ સખેદ પણ પૂરું કરીશ..દુઃખદ અને દર્દભરી વિદાયથી વ્યથિત,આ આદરણીય મહિલાએ મને કહ્યું,ભાઈ મારા મર્યા પછી મારા કર્મો,કાર્યોને યોગ્ય રીતે યાદ કરી સમાજને પ્રેરરજો…તો મારું વચન હતું,આપની હયાતીમાં જ અમે આપને યાદગાર કર્માનજલિ અર્પીશું… (નોંધ : કોઈ પણ ટ્રસ્ટીને ટેસ્ટમાં રાખવો કે કાઢવો એ ટ્રસ્ટી મંડળના બંધારણ ને આધીન અધિકાર છે પણ તે કાયદા દ્વારા નિર્મિત પ્રક્રિયા ને આધીન હોવી જોઈએ, શું ફાઉન્ડડર ટ્રસ્ટી ને આવી રીતે રાજીનામું લઈ છૂટા કરી શકાય???)
હમણાં તો પોલીસમાં મામલો બે શિક્ષકો ને ટરમીનેટ કરવાનો ચાલે છે,પછી કોર્ટ કચેરી….
(ક્રમશ:)