Home News Update Nation Update NSE વ્યાજદરના ડેરિવેટિવ્ઝ માટેના ટ્રેડિંગનો સમય સાંજે 5 વાગ્યા સુધી લંબાવ્યો….

NSE વ્યાજદરના ડેરિવેટિવ્ઝ માટેના ટ્રેડિંગનો સમય સાંજે 5 વાગ્યા સુધી લંબાવ્યો….

0

Published by : Vanshika Gor

દેશના સૌથી મોટા સ્ટૉક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ ઈન્ટરસ્ટ રેટ ડેરિવેટિવ્સ માટે વેપારનો સમય વધારી સાંજના 5 વાગ્યા સુધીનો કરી દીધો છે. આ નવો ફેરફાર આવતીકાલથી લાગુ થશે. હાલમાં સ્ટોક એક્સચેન્જ પર આ કોન્ટ્રાક્ટના વેપારનો સમય સવારના ૯ વાગ્યાથી સાંજના 3 વાગ્યા સુધીનો છે.

NSEએ એક સર્ક્યુલર જાહેર કર્યું

આ મામલે NSEએ એક સર્ક્યુલર જાહેર કર્યું છે. તેમાં જણાવ્યું કે અમે અંડરલાઈંગ માર્કેટને સમય સાથે મિલાવવા માગીએ છીએ એટલા માટે જ આ પગલું ભર્યું છે. ટાઈમિંગ વધારવાની રુપરેખા બજાર નિયામક સેબી(SEBI)એ 2018માં તૈયાર કરી હતી.

કોઈ બીજા ઈન્ટરસ્ટ રેટ ડેરિવેટિવ્સવાળા કોન્ટ્રાક્ટનું ટ્રેડિંગ ટાઈમ વધારાયું નથી

અહેવાલ અનુસાર NSEએ કહ્યું કે ફેબ્રુઆરી એક્સપાયરી ડેટવાળા ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્સના કોન્ટ્રાક્ટ હવે 23 ફેબ્રુઆરીની સાંજે 5 વાગ્યા સુધીના ટ્રેડિંગ માટે જ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત કોઈ બીજા ઈન્ટરસ્ટ રેટ ડેરિવેટિવ્સવાળા કોન્ટ્રાક્ટનું ટ્રેડિંગ ટાઈમ વધારાયું નથી. સેટલમેન્ટની ફાઈનલ કિંમતના કેલ્ક્યૂલેશનની સિસ્ટમમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version