Home News Update My Gujarat ગુજરાતના SIT મોડલથી કરોડોની નુકસાની ટળી…કાપડના વેપારમાં ફસાયેલા પૈસા પાછા આવ્યા…

ગુજરાતના SIT મોડલથી કરોડોની નુકસાની ટળી…કાપડના વેપારમાં ફસાયેલા પૈસા પાછા આવ્યા…

0

Published by: Rana kajal

કાપડના વેપારમાં ફસાયેલા પૈસા પાછા આવ્યા, હવે અન્ય રાજ્યના વેપારીઓ પણ આ મોડલ અપનાવવા સંપર્ક કરી રહ્યા છે.અમદાવાદના કાપડના વેપારીઓ ખૂબ લાબા સમયથી કાપડનો ધંધો બાકીમા ચલાવે છે. ઉધારમાં ચાલતા આ ધંધામાં SIT મોડલે ઘણી રાહત કરી આપી છે.

SIT મોડલ શું છે અને અમદાવાદના કાપડના વેપારીઓને તેનાથી શું ફાયદો થયો તેની વિગત જોતાં આશરે 100 વર્ષથી વધુ સમયથી અમદાવાદમાં કાપડનો વેપાર ઉધાર એટલેકે બાકીમાં ચાલે છે. વેપારીઓ વિશ્વાસ ઉપર જ કરોડો રૂપિયાના સોદા કરે છે. પણ છેલ્લા કેટલાક સમયથી અનેક દલાલો કે પેઢીઓ ઉઠી જતા અથવા અન્ય રાજ્યોના વેપારીઓ માલ મંગાવ્યા પછી રૂપિયા ન ચૂકવતા ગુજરાતના વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કાપડ વેપારી એશોસિયેશન અને મહાજન સહિતની અલગ-અલગ સંસ્થાઓએ આવા કરોડોના રેકેટને બહાર લાવવા માટે થોડાક કડક નિયમો પોતાના બંધારણમાં સમાવેશ કર્યા હતા. તેની સાથે પોલીસે પણ તાલથી તાલ મિલાવીને કરોડો રૂપિયાની રિકવરી આખા દેશભરમાંથી કરી આપી હોવાની સ્પષ્ટતા થઈ છે.

હવે આ ગુજરાત મોડલ અન્ય રાજ્ય પણ અપનાવવા માંગે છે. જે માટે ત્યાંના એસોસિયેશન અને વેપારી મંડળો ગુજરાતના SIT મોડલની શરૂઆતથી લઈને અત્યાર સુધીની સ્થિતિની વિગતો મંગાવી અમલમાં લાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે.

અમદાવાદના મસ્કતી કાપડ માર્કેટના પ્રમુખ ગૌરાગ ભગતે  જણાવ્યું હતું કે, અહીંના વેપારીઓ સો વર્ષથી અલગ અલગ રાજ્યોમાં તેમજ વિદેશોમાં વેપાર કરે છે. ઘણી વખત આ વેપારીઓ દલાલો મારફતે અથવા અજાણી વ્યક્તિ સાથે પણ વેપાર કરે છે. ત્યારે તેમને કેટલા સમયએ તેનો ભોગ બનવું પડે છે. અમારા મહાજનના ચોક્કસ નિયમો છે, જેને આધારે અમે હવે માર્કેટમાંથી કોઈપણ વ્યક્તિ એજન્ટ મારફતે વેપાર કરે તો તે એજન્ટની તમામ વિગત, એજન્ટની દલાલીની વિગત, તેનું મળતું કમિશનની વિગત, તેને ક્યારે રૂપિયા મળશે અથવા પેમેન્ટની ટર્મ કન્ડિશન સહિતની બાબતે માહિતગાર કર્યા છે. આગામી સમયમાં અમે એવો આગ્રહ રાખીએ છીએ કે અમારા મહાજન સાથે જોડાયેલા અથવા દરેક વેપારી પોતાના બિલબુક કે ચલણબુકમાં ખાસ માહિતી લખે જેના આધારે કાયદાકીય રીતે પડકારી શકાય. આ બાબતે આગામી દિવસોમાં અને બને તો અત્યારથી જ વેપારીઓ તેનું પાલન કરે તેવો આગ્રહ રાખીએ છીએ.

સામાન્ય રીતે વેપારીઓ દેશના અલગ-અલગ કાપડ બજારના વેપારી સાથે અથવા અન્ય લોકો સાથે વેપાર કરતા હોય છે. સો વર્ષથી ચાલતા આ વ્યવહારમાં ઉધારી એટલે કે ક્રેડિટના આધારે વેપાર થતો હોય છે. પરંતુ મોટાભાગે જ્યારે છેતરપિંડી થતી હોય ત્યારે લોકો ભાગી જતા હોય છે અથવા તેમણે દર્શાવેલા સરનામે હાજર હોતા નથી. જેના કારણે કેટલાય એવા વેપારીઓ છે, જેને પોતાના વેપારની મૂડી સહિતના પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે. પરંતુ અમને સરકાર દ્વારા મદદ મળી અને એસઆઇટીનો નવો કોન્સેપ્ટ અમલમાં આવ્યો. હવે તેનું રીઝલ્ટ એટલું મોટું છે કે અન્ય રાજ્યના લોકો અમારો સંપર્ક કરીને એસઆઇટી બનાવવા માગે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version