Published By : Parul Patel
- ✍️ ભરૂચ જિલ્લા ભાજપના નવા સંગઠનની નિમણુંક પૂર્વે ભરૂચ પાલિકાના વેરા(ટેક્સ) વધારાનો મુદ્દો, અણઘડ વહીવટ, કોણ કોનો ભોગ લેશે???
- ✍️ અસહ્ય અને તદ્દન અન્યાયી, બિન જરૂરી, ખોટા વેરાઓ પ્રજાના માથે ઝીંકનાર ઉચ્ચ સત્તાધીશો (MLA-MP-JILLA PRAMUKH) ખાયકી કેમ બંધ નથી કરતા-કરાવતા???
- ✍️ પહેલી વાર જાગેલા વિરોધપક્ષ કોંગ્રેસને ચોથી જાગીરે અને પ્રજાએ ફરજિયાત સહયોગ આપી, વેરા વિરોધ ઝુંબેશમાં જોડાવું જોઈએ…
ભરૂચ શહેર એની વિકૃત ભૌગોલિક સ્થિતિ અને ગંદકીના કારણે ઘણું બદનામ રહ્યું…ભૂગોળ તો ઘણી બદલાઈ પણ ધરાર ટાઉન પ્લાનિંગ વિના છેલ્લા 25-30 વર્ષથી આડેધડ વિકાસ પામેલ કહો કે મોટું થયેલું ભરૂચ ગંદુ તો એવું ને એવું જ રહ્યું…એક પણ શાસક દીર્ઘદ્રષ્ટિ કે સાચા અર્થમાં જનપ્રતિનિધિત્વને સાકાર કરનારો ભરૂચને મળ્યો નથી એનો આજે પણ પ્રજાને અફસોસ રહ્યો છે. ભલું થાજો રાવ અને જગદિશન જેવા એકાદ બે અધિકારીઓનું કે થોડું સારું ભરૂચ મળ્યું અને હવે વર્તમાન કલેકટરશ્રીની લવેબલ અને લિવેબલ ભરૂચ અભિયાન પર બહુ મોટી આશાઓ રાખીને ભરુચિઓ બેઠા છે, જો 5-25 ટકા પણ ભરૂચ સુધરે-બદલાય તો અહોભાગ્ય ભરૂચ ના…
આ બધા વચ્ચે ભરૂચ નગરપાલિકાનું છેલ્લા 25-30 વર્ષનું સાશન તદ્દન નિષ્ફળ ગયું છે…એકાદ બે નાના પ્રોજેક્ટ આપવા સિવાય ભરૂચને ભાજપાએ ખાસ કાઈ જ આપ્યું નથી, એમ કહેવું ખોટું નથી…એક માતરીયું તળાવ-ઝાડેશ્વરનો ગાર્ડન, એકાદ બે ઓવર બ્રિજ…બાયપાસ, ભૃગુ બ્રિજ, નવો નર્મદા બ્રિજ થોડા આમ તેમ વિરાજમાન થયેલા સ્ટેચ્યુ…બે ત્રણ નવા જુના બાગબગીચા ખરા…એ પણ 25 વર્ષમાં….!! પરંતુ પાલિકામાં સાશન કરનારાઓ અનેક કરોડપતિ (મહિલા માટે શું લખું એ સમજ પડતી નથી!!) બની ગયા છે, પ્રજા હમેશા બિચારી અને બેબાકળી જીવે છે…ભરૂચમાં પ્રજાને ઓછો અને ભાજપીઓને બહુ મોટો ફાયદો થયો છે…ભરૂચના કમનસીબે કોંગ્રેસ પણ નબળા વિરોધપક્ષ તરીકે રહી છે…આ છેલ્લા પ્રમુખમાં તો બધા જ વહીવટના મુદ્દે બદનામ થયાં છે, અને હાર્યા થાક્યા છે, ખુદ કોંગ્રેસ-વિરોધ પક્ષે પણ છેલ્લી પાલિકાની સામાન્ય સભામાં વેરા વધારાના મુદ્દે જોરદાર વિરોધ, રજૂઆતો કરીને પોતાનું કર્તવ્ય પાલન કર્યું છે, એટલુંજ નહીં, ત્યારબાદ પ્રેસ કોન્ફ્રરન્સ કરીને અઘટિત, અનિચ્છનીય વેરા વધારો કરવાના મુદ્દે જરૂર પડે આંદોલન અને જન જાગૃતિ અભિયાનની પણ તૈયારી કરી છે…વિરોધ પક્ષના ઘણા નગરસેવકો મને રૂબરૂ પણ મળવા આવ્યા…બિનપક્ષીય ધોરણે, શહેરના વિકાસ-સુવિધાઓના મુદ્દે આ વેરા વધારા મુદ્દે ચોથી જાગીરના સહયોગની મદદ પણ માંગી…પ્રજાના પક્ષ-સેવા માટે બધું કરી છૂટવાની મીડિયાની શુભકામનાઓ જ હોય…
બીજા પણ પત્રકાર મિત્રોએ પાલિકા સામે હંમેશા સાચો અને શક્ય અવાજ ઉઠાવી પ્રજાનો પક્ષ લીધો છે ને લેતા જ રહે છે. પ્રિન્ટ મીડિયા પણ એટલો જ કર્તવ્યપાલન કરતું રહે છે…આ વખતે પ્રજાને એની તાકાતનો પરચો રાજકારણીઓને બતાવવાનો શ્રેષ્ઠ મોકો છે…પ્રેસની એસી-તેસી કરનાર અને જાહેરમાં મીડિયાને જે બોલવું, લખવું હોય તે બોલવા દો, લખવા દો, આ તો 5-25 હજારના ઘરાક છે એવું બોલનાર ભાજપના જ એક બે મોટા નેતાઓએ છેલ્લા એપિસોડમાં મીડિયા સામે હાથ પગ જોડવા અને જે માંગો તે આપવાની તૈયારી બતાવનાર નેતાઓ પણ દાવમાં આવ્યા છે…નવી ટર્મમાં રિન્યુઅલની આશા રાખનાર કે નવું પદ પામવાની અપેક્ષા રાખનારાઓને પ્રજા એ આ વેરા વિરોધ ઝુંબેશમાં ખુલ્લા પાડવા હવે અનિવાર્ય છે…
ચેનલ નર્મદા બધા જ નેતાઓ, ભાજપ-કોંગ્રેસના મોબાઈલ નંબર તથા એડ્રેસ ચેનલ નર્મદા પર આ જાગૃતિ અભિયાનના ભાગ રૂપે એક મહિનો ચલાવશે…એટલુંજ નહીં, પોર્ટલ, FB. ન્યૂઝ અપડેટ અને ઇન્સ્ટા, ટ્વીટર પર પણ વેરા વિરોધી ઝુંબેશને સક્રિય બનાવશે…પાલિકાનું સ્વયં શુદ્ધિકરણ નહીં થાય તો હાઇકોર્ટની PIL પણ રેડી થઈ રહી છે…
ભરૂચ શહેર છે, આ શહેરમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરના ધારાસભ્ય અરુણસિંહ બાપુ, એક મહામંત્રી નિરલ પટેલ, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, આખું સંગઠન શહેર જિલ્લાનું…એક પાલિકાઓ અને જિલ્લા પંચાયત પણ પક્ષથી સચવાતી નથી…જુના જોગીઓએ પક્ષને પોતાની જાગીર બનાવી છે, વ્યવસાયિક પેઢી બનાવી છે ને એના સઘળા રિપોર્ટ દિલ્હી દરબાર સુધી પહોંચ્યા છે, જેના કારણે જમીનસંપાદનના મુદ્દે પણ ખેડૂતો દુઃખી થાય છે…જો ભાજપના આ નેતાઓ સ્વયં પરિવર્તન અને સારો વહીવટ નહીં કરે, લાવે તો રૂપાણી સરકારવાળું ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં થવાના પુરા એંધાણ છે…
વેરા વિરોધી ઝુંબેશમાં કોંગ્રેસે બહુ હિંમત અને ખાનદાનીથી પ્રજાને થતા અન્યાય સામે અવાજ કાઢ્યો તો છે, ભાજપના 15 જેટલા ગરબડ ગોટાળાઓ ગણાવ્યા છે…તે સનાતન સત્ય જેવા સાચા છે, એ બધું બીજા બ્લોગ માં…ભરૂચને હવે સાચા અને સારા ભાજપની તાતી અનિવાર્યતા છે, પ્રદેશ ભાજપે ગુપ્તચર તંત્ર પાસેથી ઇનપુટ મેળવી એવા સાચા અને સારા માણસોને ગોઠવવા પડશે…CM એમનેમ નહતા બોલ્યા કે માત્ર મારા-તમારા ના કરશો…બધા જ જીતે છે. લોકપ્રિય વડાપ્રધાન મોદીજી અને ગૃહમંત્રી શાહ સાહેબની મેહનત, ઇમેજ, છાતી અને પ્લાનિંગ, રાષ્ટ્રભક્તિ અને સમર્પણથી બાકી એકેય ભરુચી ભાજપ નેતાની ડિપોઝિટ પણ ના બચે કમળની દાંડી વગર…ભગવાના પડછાયા વિના…છે કોઈ આ વાતનો વિરોધ કરનાર ભડવીર અને શક્તિશાળી નેતા જિલ્લામાં???🙏🙏