Published by : Rana Kajal
- ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં ઠંડી વધે તેવી આગાહી કરવામાં આવી….
પહાડો પર હિમવર્ષાથી ઉત્તર ભારતમાં ‘કોલ્ડ-એટેકની શરુઆત થઈ અમૃતસરનુ તાપમાન 8 ડીગ્રી સુધી ઘટ્યું હતુ. જ્યારે મેદાનોમાં ઝાકળને લીધે ચારેબાજુ ધુમ્મસનું વાતાવરણ સર્જાયું હતુ. હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીર ખીણમાં હિમવર્ષા પછી આવનાર સમયમાં ઉત્તર ભારતમાં પણ ‘કોલ્ડ-એટેક’ વધશે. જોકે હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયાથી ચંદીગઢ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં ઝાકળનું પણ જોર વધશે. પહાડોના બર્ફીલા પવનને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધવા લાગી છે.
અમૃતસરમાં મહત્તમ તાપમાનમાં 8 ડીગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. અહીં લઘુતમ તાપમાન 11.9 ડીગ્રી અને મહત્તમ તાપમાન 19.8 ડીગ્રી નોંધાયુ હતુ. ચંદીગઢમાં 4 ડીગ્રીના ઘટાડા બાદ મહત્તમ તાપમાન 23.9 અને લઘુતમ તાપમાન 14.2 ડીગ્રી નોંધાયુ હતુ. અંબાલા, લુધિયાણા, પટિયાલા, હિસાર, જયપુરમાં પણ તાપમાનમાં 1થી 4 ડીગ્રીનો ઘટાડો નોંધાયો છે.




