- ખુબ જ ઉમદા પોલિસ બંદોબસ્તની રૂપરેખા
- દરેક ચેલેન્જ સામે અસરકારક પ્લાન
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ માટેની કડક અને દરેક ચેલેન્જ સામે અસરકારક એવી સિક્યુરિટીની રૂપરેખા તૈયાર કરી છે. આ મહોત્સવમાં એક મહિના સુધી રોજના બેથી ત્રણ લાખ લોકો આવે તેવી શક્યતા છે. આ માટે પોલીસ તંત્રે એક મહિના સુધી DCP સહિતના અધિકારીઓ તેમજ VVIP માટે NSG અને એક્સ્ટ્રા ફોર્સની વ્યવસ્થા કરી છે. આગામી દિવસોમાં પોલીસે તમામ પ્લાન તૈયાર રાખ્યો છે કારણ કે અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે. યુનિયન હોમ મિનિસ્ટર અને દુબઈના મોસ્ટ VVIP લોકો પણ આવવાના છે. પોલીસ ૩ શિફ્ટમાં કામ કરશે સમગ્ર મહોત્સવ દરમિયાન અમદાવાદ પોલીસ ફોર્સની સાથે અમદાવાદ જિલ્લા પોલીસ અને ગાંધીનગર પોલીસ પણ જોડાશે. સમગ્ર વ્યવસ્થા પોલીસ અને BAPS ના વોલન્ટિયર સાથે મળીને કરવામાં આવશે. જે માટે વોલેન્ટિયરને ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે.
પોલીસની પ્રાયોરિટી મહોત્સવમા આવતા લોકોની તમામ સુરક્ષા વ્યવસ્થા કરવાની છે. જે માટે હાલ મિટિંગો યોજાઇ રહી છે રાજ્યના પોલીસવડા સહિત ઉચ્ચ અધિકારી દ્વારા આ કાર્યક્રમ સંદર્ભે મિટિંગોનો દોર શરૂ થયો છે. આ મહોત્સવ માટે 13 હજારથી વધુ પોલીસ ફોર્સ છે. જ્યારે જિલ્લા અને ગાંધીનગર પોલીસની મદદ મંગાવવામાં આવી છે. SRP ની ટુકડીઓ ગોઠવવામાં આવશે. તેમજ VVIP માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા આવનાર તમામ લોકો માટે ખાસ સુરક્ષા વ્યવસ્થાની તૈયારીના ભાગરૂપે અત્યારથી જ SRP ની ટુકડી મૂકી દેવામાં આવી છે.

બીજી તરફ પોલીસનો કંટ્રોલ રૂમ હશે જેમાં આ વિસ્તારમાં બનતી નાની-મોટી ઘટનાઓની તમામ બાબતોની નોંધ લેવાશે અને જરૂર પડશે તો પોલીસ દ્વારા એક્શન પણ લેવામાં આવશે. બીજી તરફ અહીંયા વધુ ફોર્સ પણ જરૂર પડશે તો મંગાવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે બીજી તરફ ઉભા કરાયેલ નગરની અંદર વોલન્ટિયર પોલીસની સાથે હશે. જેમાં એક પોલીસની સાથે બે વોલન્ટિયર ભેગા કામ કરશે અને આખા નગરમાં તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે વોલન્ટિયરો પણ ખૂબ સારી રીતે પોલીસ સાથે કામ કરી રહ્યા છે અને નગરની અંદર 300 પોલીસ કર્મીઓ હાજર રહેશે. તેમની સાથે 600 વોલન્ટીયર હશે. જે તમામ અંદરની સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખશે. પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં બનાવવામાં આવેલા નગરમાં પ્રધાનમંત્રી સહિત યુનિયન હોમ મિનિસ્ટર અને અનેકવિધ VIP આવવાના છે. જે માટે ખાસ અલગ સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ પણ કરવામાં આવી છે. આવનાર 14 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં આવશે. ત્યાર બાદ 15 તારીખે યુનિયન હોમ મિનિસ્ટર અને દુબઈના શેખ પણ આવવાના છે. જે અંગેના અમને કન્ફર્મેશન મળ્યા છે. જેને લઇ તૈયારીઓ કરવામાં આવી છે. આ માટે SPG, VVIP એસ્કોર્ટ અને સિનિયર પોલીસ ઓફિસરને જવાબદારી સોંપવામાં આવશે. જે અંગેની ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. હાલ ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરવામાં આવી છે. BAPS દ્વારા પોલિસને જે જે VVIP કન્ફર્મ થાય છે તેમનું લિસ્ટ આપવામાં આવે છે. ત્યારબાદ તેમની સુરક્ષાને લઈને વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે બે કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં એક વેન સિક્યુરિટી છે જે આખો મહિના સુધી સિક્યુરિટીની વ્યવસ્થા જોશે. જ્યારે અન્ય એક કેટેગરીમાં VVIP સુરક્ષા વ્યવસ્થા છે. જેમાં VVIP ના આધારે તેમની સુરક્ષા વ્યવસ્થામાં અધિકારી જોડાશે. પરંતુ ખાસ કરીને આ તમામ વ્યવસ્થા માટે 7 DCP, 39 PI અને 200થી વધુ PSI ફાળવવામાં આવ્યા છે. 2500 કોન્સ્ટેબલ, 1 કંપની SRP પછી અન્ય જગ્યાએથી પણ ફોર્સ મંગાવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે અને વધારે અધિકારીઓ પણ જોડવામાં આવે એવી શક્યતાઓ છે.

પ્રમુખસ્વામી જન્મ શતાબ્દીના પ્રસંગના કારણે જે આખું નગર બનાવવામાં આવ્યું છે. ત્યાં સવારની આરતીથી રાતના ૧૦ વાગ્યા સુધી લોકો રહેશે. જે માટે પોલીસ ૩ શિફ્ટમાં પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરી છે. જેઓ સવાર, સાંજ અને રાત ૩ શિફ્ટમાં કામ કરશે. નગરમાં આવનાર તમામ લોકોને કોઈ પણ જગ્યાએ અગવડ ન પડે તે માટે નગરની અંદર CCTV કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે એનું સતત મોનિટરિંગ કરવામાં આવશે. વાહન પાર્કિંગ, ઇન્ટર્નલ સિક્યુરિટી અને હાઇવે પર ટ્રાફિકજામ ન થાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સવારે નગરનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં ૧ કલાક અને કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારબાદ ૧ કલાક સુધી સજ્જડ સુરક્ષા વ્યવસ્થાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અહીંયા અન્ય જાહેર પ્રસંગની જેમ જ વ્યવસ્થા માટે કોઈ કચાસ છોડવામાં આવી નથી. જેની જવાબદારી સ્થાનિક પોલીસ સ્ટેશન સોલા DCP અને તેનું સમગ્ર ઓબ્ઝર્વેશન સેક્ટર વન કરશે હાલ જે નગર બનાવવામાં આવ્યું છે. ત્યાં આગળ ફિક્સ મેટલ ડિટેક્ટર તેમજ હેડ મેટલ ડિટેક્ટર અને બોમ્સ સ્કોડની ટીમ સતત ત્યાં હાજર રહેશે. દરેક ગેટમાંથી અંદર જતા તમામને સ્કેન કરવામાં આવશે તેની સાથે તેમની બેંક હશે. એટલે કે કોઈપણ સામાન હોય તેને સ્કેન કર્યા બાદ જ નગરમાં પ્રવેશ આપવામાં આવશે. એટલે એક રીતે જોવામાં આવે તો તમામ માઇક્રો પ્લાનિંગ કરીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને હજુ પણ સુરક્ષા વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવશે. BAPS કાર્યક્રમમાં દેશ વિદેશના અનેક VVIP અવવાના છે. તે માટે ચેતક, NSG અને અન્ય ફોર્સ પણ હશે. તેની સાથે સ્નિફર ડોગ અને દેરક સિક્યુરીટી સાથે વાયરલેશ કનેક્ટિવિટી હશે. જેથી દરેક મુવમેન્ટ પર નજર રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ સુરક્ષા વ્યવસ્થા મહેમાનોના આધારે નક્કી કરવામાં આવશે.
BAPS દ્વારા બનાવવામાં આવેલા નગરમાં BAPS દ્વારા સામાન્ય લોકોની સાથે પોલીસને પણ ખૂબ મદદ કરવામાં આવી રહી છે. અત્યારે 300 જેટલા પોલીસ કર્મચારીઓને ત્યાં રહેવાની વ્યવસ્થા પણ BAPS દ્વારા કરવામાં આવી છે. જે નગરની અંદર રહેશે અને તેમની સાથે બે વોલેન્ટિયર પણ છે. જેઓ માટે આખી વ્યવસ્થા BAPS દ્વારા ગોઠવવામાં આવી છે. BAPS એ ખૂબ જ માઇક્રો લેવલે પ્લાનિંગ કર્યું છે અને દરેક લેવલે પોલીસને મદદ પણ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નગરમાં આવવાના છે તે સમયે તેઓ ત્યાં એક સભા કરવાના છે. જે અંગે પણ કડક બંદોબસ્તની રૂપરેખા તૈયાર કરી છે નગરમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં રોજના બેથી ત્રણ લાખ લોકો આવે તેવા અંદાજના આધારે સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એક મહિના સુધી આટલા લોકો આવે ત્યારે વાહન પાર્કિંગ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ ત્યાં હાજર રહેશે. અંદાજે 80થી 90 હજાર વાહનો પાર્ક થઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને તેને સરળ રહી હતી માટે પોલીસ ત્યાં હાજર હશે.
એક મહિના સુધી ચાલનારા આ મહા મહોત્સવના કાર્યક્રમમાં પોલીસે દરેક લેયરનો વિચાર કર્યો છે અને BAPS એ જે પ્રકારે આયોજન કર્યું છે તે ખૂબ ઉમદા આયોજન છે. જેમાં પોલીસે એક કોર ટીમ બનાવી છે. જેમાં એક DCP BAPS સાથે સતત કોર્ડિનેટ કરશે. ત્યારબાદ એક SIT ની પણ નિમણૂક કરવામાં આવશે. જે સમગ્ર કાર્યક્રમને નાનામાં નાની બાબતને સોલ્વ કરવામાં પ્રયાસ કરશે. ખરેખર આ કાર્યક્રમ પોલીસ માટે એક લર્નિંગ છે જેને ક્યારેય ભૂલી નહી શકાય.