માં જગદંબાની આરાધનાના પર્વ નવલા નોરતાનો પ્રારંભ થઇ ગયો છે. પ્રથમ દિવસે ઘટ સ્થાપન કર્યા બાદ પ્રથમ રાત્રીએ ખેલૈયાઓએ અનેરો ઉત્સાહ બતાવ્યો હતો… માતાજીની આરતી બાદ ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા હતા. કોરોનાના બે વર્ષ બાદ નવરાત્રી પર્વ મોટાપાયે ઉજવાયો છે ત્યારે ખાલૈયાઓ એક દિવસ પણ બગાડવા માગતા ન હોય તેમ ગરબે ઘૂમ્યા હતા.










