Home Bharuch ભરૂચ કસક રોકડીયા હનુમાન મંદિરે જવાના રસ્તે ઉભરાતું ગટરનું પાણી…ભક્તોમાં નારાજગી…

ભરૂચ કસક રોકડીયા હનુમાન મંદિરે જવાના રસ્તે ઉભરાતું ગટરનું પાણી…ભક્તોમાં નારાજગી…

0

Published By : Parul Patel

  • પોતાના જ વોર્ડમાં પાલિકા પ્રમુખ મુલાકાત લઈને જાય છે પણ સમસ્યાનો હલ કરતા નથી પુજારીએ ઠાલવી વ્યથા
  • હનુમાન જ્યંતીને પેહલા પાલિકા રોડ પર વહેતી ગંદકી બંધ કરાવે તે જરૂરી

ભરૂચ પાલિકા પ્રમુખના પોતાના જ વોર્ડમાં કસક વિસ્તારમાં રોકડીયા હનુમાન મંદિર જવાના રસ્તે ઊભરાતી ગટરોથી પૂજારી અને ભક્તોની લાગણી દુભાઈ છે.

હનુમાન જ્યંતીને આડે હવે બે ત્રણ દિવસ જ બાકી છે ત્યારે હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર રોકડીયા હનુમાન મંદિરે ઉભરાતી ગટરોથી મુક્તિ અપાવવા ભક્તો માંગ કરી રહ્યાં છે.

મંદિરે જવાના માર્ગ પરથી જ મળ મૂત્ર વહેતા હોય સ્થાનિકો અને ભક્તોમાં રોષ ફેલાયો છે. કેટલાય લોકો પડી જવાથી આ ગંદકીનો ભોગ બની રહ્યા છે. પાલિકા પ્રમુખ અમિત ચાવડાના જ વોર્ડમાં તેઓએ કેટલીય વખત મુલાકાત લીધી હોવા છતાં મંદિર જવાના રસ્તે ઉભરાતી ગટરોનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. હનુમાન જ્યંતીને ધ્યાને રાખી પાલિકા પ્રમુખ અને તંત્ર કાર્યવાહી કરે તેવી માંગણી પૂજારીએ પણ કરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version