Home News Update Nation Update મૈસુરના પ્રતાપી રાજા ટીપુ સુલતાનની તલવારની હરાજી કરાશે…

મૈસુરના પ્રતાપી રાજા ટીપુ સુલતાનની તલવારની હરાજી કરાશે…

0

Published by : Rana Kajal

ભારતના યશસ્વી અને પરાક્રમી રાજવીઓ આજે પણ વિશ્વમાં આગવી ખ્યાતિ ધરાવે છે તેથી જ આવા રાજવીઓની ચીજ વસ્તુઓની પણ આજે પણ ઉંચી કિંમત બોલાય છે. મૈસુરના આવાજ પ્રતાપી રાજવી ટીપુ સુલતાનની તલવારની હરાજી કરવામાં આવશે.આ તલવાર આશરે 100 Cm લાંબી છે તેમજ તમામ તેનો હાથો સોનાનો છે. મૈસૂરના શાસક ટીપુ સુલતાનની આ છેલ્લી કલાત્મક તલવાર હોવાનુ મનાય રહ્યું છે. જેની હરાજી તા.23 મેના રોજ યોજાનાર છે.
અત્રે નોંધવું રહ્યું કે દેશનો વીતેલો ઇતિહાસ ખુબ પરાક્રમી હોવાના કારણે રાજવીઓએ જેજે ચીજ વસ્તુઓનો ઉપયોગ કર્યો હોય તે તમામ ચીજ વસ્તુઓનું આજે પણ ખાસ મહત્ત્વ છે. જુના જમાનાની કલાકૃતિ ધરાવતા શિલ્પની માંગમાં પણ દિન પ્રતિદિન વધારો થતો રહયો છે આવીજ રીતે જુના ચલણી સિક્કાઓની માંગમાં પણ વધારો થયો છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version