Home India રથયાત્રામાં ભગવાનનું મામેરૂ કરવાનું અહોભાગ્ય…

રથયાત્રામાં ભગવાનનું મામેરૂ કરવાનું અહોભાગ્ય…

0

Published By : Patel shital

  • ઘનશ્યામ પટેલ કરશે મામેરું…
  • 10 વર્ષની રાહ જોયા બાદ મળશે આ અમુલ્ય લ્હાવો…

ભગવાન જગન્નાથની રથયાત્રામાં મામેરાનું પણ ખુબ મહત્વ હોય છે. મામેરૂ કરવાનું સદભાગ્ય જેને પ્રાપ્ત થાય તેને સર્વસુખ પ્રાપ્ત થયું હોવાની લાગણી થાય છે. અમદાવાદમાં ભગવાન જગ્ન્નાથની 146મી રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન ભગવાનના મોસાળા માટે ભાવિકો વર્ષોથી રાહ જોતા હોય છે ત્યારે આ વર્ષની રથયાત્રામાં મામેરું કરવાની તક ઘનશ્યામ પટેલને મળી છે. તેમને 10 વર્ષની રાહ જોયા બાદ મોસાળું કરવાની તક સાંપડશે. એમ ઘનશ્યામ પટેલના કુટુંબીજનોએ જણાવ્યું હતુ. દર વર્ષે રથયાત્રા મહોત્સવમાં મોસાળુ કોણ કરશે તે અંગે ખુબ મોટી સંખ્યામાં લોકો પોતાના નામ નોંધાવતા હોય છે. ત્યાર બાદ ડ્રો કરવામાં આવે છે આ વર્ષે પણ ડ્રો કરાતા છેલ્લા 10 વર્ષોથી ભગવાનનું મોસાળું કરવા ઈચ્છા ધરાવતા એક વેપારી ઘનશ્યામ પટેલનું ડ્રો માં આવતા તેઓ ખુશ થઇ ગયા હતા.

આવનાર તા 22 જૂનના રોજ અમદાવાદ ખાતે યોજાનારી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાના મામેરાના યજમાન તરીકે ઘનશ્યામ પટેલ છે. ઘનશ્યામ પટેલ મૂળ મેઘાણી નગરના છે અને હાલમાં થલતેજ ખાતે રહે છે. તેઓ તથા તેમનો પરિવાર છેલ્લા 10 વર્ષથી મામેરાના યજમાન પદની રાહ જોતા હતા. ત્યારે હવે આ વખતે તેમનો વારો આવ્યો છે. તો મામેરાની યજમાની મળતા જ ઘનશ્યામ પટેલના પરિવારમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘનશ્યામ પટેલ અને તેમના પરિવારનું કહેવું છે કે તેઓ અત્યારથી જ મામેરાની તૈયારીમાં લાગી જશે કારણ કે વર્ષોની જે તેમની ઇચ્છા હતી તે હવે આ વર્ષે પૂર્ણ થવા જઈ રહી છે અને રથયાત્રાના મહાઉત્સવમાં તેઓ હોશથી ભગવાન જગ્ન્નાથ, ભાઈ બલભદ્ર તેમજ બહેન સુભદ્રાનું મામેરૂં કરશે.

જો કે રથયાત્રાની તૈયારીના ભાગ રૂપે અમદાવાદ સરસપુર ખાતે આવેલા રણછોડરાયજી મંદિર ખાતે ટ્રસ્ટીઓની હાજરીમાં એક બાળકીના હાથે ચિઠ્ઠી લેવડાવીને મોસાળાના યજમાનની પસંદગી કરવામાં આવી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version