Home Sports સાનિયા મિર્ઝાએ ટેનિસમાંથી નિવૃત્તિ લેવાનુ એલાન કર્યુ….

સાનિયા મિર્ઝાએ ટેનિસમાંથી નિવૃત્તિ લેવાનુ એલાન કર્યુ….

0
  • દુબઈમાં આવતા મહિને કારકિર્દીની છેલ્લી ટૂર્નામેન્ટ રમશે
  • સાનિયાને વર્ષ 2004માં અર્જુન એવોર્ડ તો 2006માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો

ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ હવે ટેનિસમાંથી સંન્યાસ લેવાનુ એલાન કર્યુ છે. ફેબ્રુઆરીમાં દુબઈમાં WTA 1000 ઈવેન્ટ બાદ પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ લેશે.

ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ નિવૃત્તિની જાહેરાત કરી છે. છ વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા સાનિયા આગામી ફેબ્રુઆરીમાં દુબઈમાં WTA 1000 ઈવેન્ટ બાદ પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ લેશે. તેણે ટેનિસ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં આ માહિતી આપી હતી. સાનિયાએ ત્રણ વખત વિમેન્સ ડબલ્સનો ગ્રાન્ડ સ્લેમ અને ત્રણ વખત મિક્સ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. સંન્યાસ લેતા પહેલા તે આ મહિને ઓસ્ટ્રેલિયા ઓપનના ડબલ્સમાં ભાગ લેશે.

સાનિયાએ તેની કારકિર્દી દરમિયાન ઘણી મોટી ટૂર્નામેન્ટ જીતી છે. આ સાથે તેમને ઘણી વખત પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સાનિયાએ ઓસ્ટ્રેલિયન ઓપન 2016, વિમ્બલ્ડન 2015, યુએસ ઓપન 2015 અને તેની સાથે ઘણા મહત્વપૂર્ણ પ્રસંગો જીત્યા. તેણે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ પણ જીત્યો છે. સાનિયાને વર્ષ 2004માં અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પછી તેમને 2006માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. તેણીને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર અને પદ્મ ભૂષણ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી છે. આટલી શાનદાર કારકિર્દી બાદ સાનિયા હવે નિવૃત્તિ તરફ આગળ વધી રહી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version