Published By : Disha Trivedi
આજરોજ ભોજપુરી સિનેમા જગતની પ્રખ્યાત અભિનેત્રી આકાંક્ષા દુબેએ આત્મહત્યા કરી તેનું જીવન ટૂંકાવ્યું હતું.
આત્મહત્યા કર્યાના અમુક કલાકો પેહલા જ એ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવી હતી અને રડી રહી હતી.
અભિનેત્રીની આત્મહત્યા ના અમુક કલાકો બાદ અન્ય સમાચાર પ્રાપ્ત થાય છે એના બોયફ્રેન્ડ ભોજપુરી ગાયક સમર સિંહના ગુમ થવાના.. જે સબંધોની જાણ અભિનેત્રીએ વેલેન્ટાઇન ડે ના દિવસે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરીને કરી હતી.
તો આવો જાણીએ, અભિનેત્રીના દોઢ મહિનાના સબંધ અને આત્મહત્યા કરવા પાછળના કારણ વિશે…
અભિનેત્રી લાંબા સમયથી ડિપ્રેશનથી પીડાય રહી હતી. આ કારણોસર તેણે 2018માં ફિલ્મી દુનિયાને અલવિદા કહેવાનું નક્કી કર્યું હતું.
આકાંક્ષાની લાશ પોલીસને સારનાથ થાણા ઇલકાની સોમેન્દ્ર હોટલમાં લટકતી મળી આવી હતી. આગલી રાત્રે અભિનેત્રી 2 વાગ્યે શૂટિંગ પતાવી હોટલ ઉપર પરત ફરી હતી. બીજે દિવસે મેકઅપ મેને રૂમનો દરવાજો ખટખટાવતા અંદરથી કોઈ જવાબ મળ્યો નહતો.
બાદમાં હોટલની માસ્ટર કી ની મદદથી રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો હતો ,જ્યાં અભિનેત્રી દુપટ્ટા વળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પોલીસ તપાસ ચલાવી રહી છે. પરંતુ ફિલહાલ આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે.




