- 50 થી 60 ટકા સુધી ડાયાબિટીસના દર્દીઓને હાર્ટની બિમારીઓ થઇ શકે
- હાઈ બ્લડ સુગરવાળા ડાયાબિટીસના દર્દીઓમાં હાર્ટ બિમારીઓનુ જોખમ વધારે…
છેલ્લાં કેટલાંક મહિનાઓથી અચાનક હાર્ટ એટેક આવવો અને કાર્ડિયક અરેસ્ટથી ઘણા લોકોના મોત થાય છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર જે લોકોને ડાયાબિટીસ છે એવા લોકોને પણ હાર્ટની બિમારીઓનુ જોખમ વધારે હોય છે. આવા લોકો સાઈલન્ટ હાર્ટ એટેક માટે અતિ સંવેદનશીલ હોઇ શકે છે. ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે, જેમાં શરીરમાં ઈન્સુલિનનુ લેવલ બરોબર રહેતુ નથી અને સુગરનુ સ્તર વધી જાય છે. એવામાં જે લોકોને ડાયાબિટીસ છે અને સુગરનુ લેવલ વધારે છે. તેઓએ પોતાના હાર્ટની વિશેષ સારસંભાળ રાખવી જોઈએ. જેના માટે નિયમિત રીતે હાર્ટની તપાસ જરૂરી છે.
એપોલો ડાયગ્નેસિસના ડૉ. નિરંજન નાયક કહે છે કે સાયલેન્ટ હાર્ટ એટેક એવો હોય છે, જેમાં કોઈ લક્ષણો હોતા નથી અથવા જાણ ન હોય તેવા લક્ષણો સાથે આવે છે. મેડિકલ ન્યુઝ ટુડે મુજબ, એક વ્યક્તિને ત્યાં સુધી તેની જાણકારી હોતી નથી કે જ્યાં સુધી અચાનક હાર્ટમાં પરેશાની ન થાય. ભારતમાં ડાયાબિટીસ બહુ મોટી સમસ્યા બની ચૂક્યો છે. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના જણાવ્યા અનુસાર, 2015માં ભારતમાં ડાયાબિટીસના 6.91 કરોડ કેસ નોંધાયા હતા.
અનુમાન લગાવવામાં આવ્યું છે કે 50 થી 60 ટકા સુધી ડાયાબિટીસના દર્દીઓને હાર્ટની બિમારીઓ થઇ શકે છે. જાણીતી હોસ્પિટલના ઈન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ ડોકટરનુ કહેવુ છે કે હાઈ બ્લડ સુગરવાળા ડાયાબિટીસના દર્દીઓમાં હાર્ટની બિમારીઓનુ રિસ્ક ખૂબ વધારે હોય છે. તેમની હાર્ટ આર્ટરીમાં બ્લોક થવાની આશંકા પણ રહે છે. બ્લોકનો અર્થ કોરોનરી ધમનીઓ, મગજની ધમનીઓ અને કિડનીના રક્ત પ્રવાહમાં ધીમી ગતિથી અવરોધરૂપ છે. જેમ કે એથેરોસ્કલોરોટિક હૃદયરોગ કહેવામાં આવે છે. જે સામાન્ય રીતે એકસાથે હોય છે અને તેમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, સ્ટ્રોક અને કિડનીની બિમારીઓનો સમાવેશ થાય છે.
કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થયો હોવાનું નિદાન થાય પછી તેને ખાનપાનની આદતો બદલવાની અને કસરત કરવાની સલાહ આપવામાં આવે છે.આ પરિસ્થિતિમાં વધારે ફેટ અને સુગરવાળો ખોરાક લેવાનું બંધ કરીને તેમજ કસરત મારફત શરીરમાંથી ગ્લૂકોઝનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળે છે.