વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ તા. 19 સપ્ટેમ્બરના રોજ સાત દશક બાદ 8 ચિત્તા ભારત આવશે. સૌ પ્રથમ સ્પેશિયલ કાર્ગો વિમાનમાં ચિત્તા નામિબિયાથી જયપુર આવશે. કાર્ગો વિમાન પર પણ ચિત્તાનુ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે. જયપુરથી હેલિકોપ્ટર દ્વારા ચિત્તાઓને મઘ્ય પ્રદેશના કુનો માનપુર ખાતે લઇ જવાશે. જ્યાં વડાપ્રધાન ચિત્તા ઓનું લોકાર્પણ કરશે સાથે જ કૂનો માનપુરના નેશનલ પાર્ક ખાતે ચિત્તાઓને કોરંટાઇન કરવામાં આવશે. પ્રોજેકટ ચિત્તાની મુખ્ય એજન્સી ચિત્તા કંઝરવેશન ફન્ડનાં સૂત્રોના જણાવ્યાં ચિત્તાઓમાં ત્રણ નર ચિત્તાઓનો સમાવેશ થાય છે.