‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા બેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે કે દિશાને ગળાનું કેન્સર હોવાનું નિદાન થયું છે. તે ગળાના કેન્સરનો સામનો કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘દયા બેન’ના પાત્રને કારણે તેને ગળાનું કેન્સર થયું છે. દિશા શોમાં વિચિત્ર અવાજમાં વાત કરતી હતી. દિશાને ક્યારે આ બીમારી વિશે ખબર પડી નથી.
દિશા વાકાણીએ વર્ષ 2019માં શોને અલવિદા કહી દીધું હતું. તેણે આનું કારણ મેટરનિટી લીવ તરીકે જણાવ્યું હતું. ત્યારથી ફેન્સ તેના શોમાં પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શોમાં પાછા ફરવા માટે મેકર્સે ઘણી વખત તેનો સંપર્ક કર્યો પરંતુ તેણે ના પાડી. દિશા શોની સૌથી લોકપ્રિય અને ફેવરિટ અભિનેત્રી હતી. વર્ષ 2010માં દિશા વાકાણીએ દયાબેનના અનોખા અવાજ વિશે વાત કરી હતી. દિશાએ કહ્યું કે દરેક વખતે એક જ અવાજ જાળવી રાખવો ઘણો મુશ્કેલ હતો. પરંતુ ભગવાનની કૃપાથી કે તેણે ક્યારેય તેના અવાજને નુકસાન પહોંચાડ્યું નથી કે ગળામાં કોઈ સમસ્યા ઊભી કરી નથી. આ અવાજથી તે દિવસમાં 11-12 કલાક સતત શૂટિંગ કરતી હતી.જ્યારથી દિશા વાકાણીએ શો છોડ્યો ત્યારથી તેનું પાત્ર ખતમ થઈ ગયું છે. તેના બદલે મેકર્સ નવી અભિનેત્રીની શોધમાં છેદિશાના ગયા પછી અન્ય ઘણા કલાકારોએ શો છોડી દીધો.




