Home Ahmedabad દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જે રિક્ષા ચાલકનાં ઘરે ભોજન લીધું તે રિક્ષા...

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જે રિક્ષા ચાલકનાં ઘરે ભોજન લીધું તે રિક્ષા ચાલક અંગેની રસપ્રદ વિગતો…

0

ગુજરાત રાજ્યમાં કોઇ રિક્ષા ચાલકનાં નિવાસ સ્થાને મુખ્યમંત્રીએ ભોજન લીધું હોય તેવો કદાચ પ્રથમ બનાવ બન્યો હતો.

અમદાવાદના રિક્ષા ચાલક વિક્રમ દંતાણી કે જે અમદાવાદનાં ઘાટલોડિયા વિસ્તારના ઍક રૂમ રસોડાના મકાનમાં રહે છે. તેમની આર્થિક પરિસ્થિતી કેવી છે તે અંગે ની વિગત જોતા વિક્રમની પુત્રી માટે ઘોડિયું પણ નથી. તેઓ ખાટલા સાથે કપડાંનો ઝુલો બનાવી તેમાં દીકરીને સુવડાવે છે. આવાં રિક્ષા ચાલક વિક્રમે એવા સમાચાર જાણ્યા કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના રિક્ષા ચાલકે ભોજન લીધું.આ બાબત જાણી વિકમે અરવિંદ કેજરીવાલની અમદાવાદની મુલાકાત દરમિયાન પોતાના નિવાસ સ્થાને ભોજન કરવા અંગે અરવિંદ કેજરીવાલને નિમંત્રણ આપ્યું અને રીક્ષામાં બેસી અરવિંદ કેજરીવાલ ગુજરાત રાજયના આમ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સાથે રિક્ષા ચાલક વિક્રમને ત્યાં આવી પહોંચ્યા હતા. વિક્રમની પત્નીએ દૂધીનું શાક, રોટલી અને દાળ ભાત જેવું સાદું ભોજન પીરસ્યું હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version