Home Ankleshwar નર્મદા મૈયા બ્રિજ મોતની છલાંગ બાબતે કુખ્યાત…

નર્મદા મૈયા બ્રિજ મોતની છલાંગ બાબતે કુખ્યાત…

0
  • વધુ એક યુવાને બ્રિજ પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી…
  • પ્રેમિકાની સામે જ પ્રેમીએ મોતની છલાંગ લગાવી..
  • પ્રેમિકા જોતી રહી અને પ્રેમી ડૂબી ગયો…કેવી કરૂણતા….

ભરૂચ અને અંક્લેશ્વર વચ્ચે નર્મદા નદી પરનો નર્મદા મૈયા બ્રિજ વધી રહેલા આત્મહત્યાના બનાવોના પગલે કુખ્યાત બની રહયો છે. હાલમાં જ એક યુવાને બ્રિજ પરથી છલાંગ લગાવી હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવ સાથે કરુણ પ્રેમ કહાની સંકળાયેલ હોવાનું જાણવા મળેલ છે.

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલ નર્મદા મૈયા બ્રિજ પરથી વધુ એક યુવકે મોતની છલાંગ લગાવી હતી. આ બનાવ અંગે ઘણી કરુણ વિગતો જાણવા મળી રહી છે. લગભગ 2 માસ પહેલા મઘ્યપ્રદેશની યુવતી સાથે પ્રેમ થઈ જતા યુવતી તેના માં બાપને છોડી તેના પ્રેમી પાસે આવી બન્ને સહમતીથી સાથે રહેતા હતા. અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ કોસમડી ગામે રહેતા 24 વર્ષીય યુવક પુષ્પરાજ કાલિદાસ પ્રજાપતિ તેની પ્રેમિકા સાથે નર્મદા મૈયા બ્રિજ પર આવી પ્રેમિકાની સામે જ મોતની છલાંગ લગાવી મોતને વ્હાલું કરી લેતા પ્રેમિકા બચાવો બચાવોની બુમો પાડતી રહી ગઈ અને પ્રેમી યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો. બનાવની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને થતા અંકલેશ્વર સી.ટી.પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરેલ અને યુવતીને તપાસ અર્થે અંકલેશ્વર સી. ટી.પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version