નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૫/૦૧/૨૦૨૩ થી તા.૩૧/૦૧/૨૦૨૩ સુધી ચાઇનીઝ તુક્કલ તેમજ પતંગ ચગાવવા માટે ચાઇનીઝ માંઝા, નાયલોન, અન્ય સિન્થેટીક માંઝા, પ્લાસ્ટીક દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી, નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના ઉત્પાદન, વેચાણ, ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અને ભારતના ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.