Published By : Patel Shital
- ભરૂચના નિપ્પનનગરમાં પરિણીતાના આપઘાતમાં પિતાએ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો…
જુના ભરૂચના કેશુરૂમામાના ચકલામાં રહેતા રાકેશભાઈ રાણાની દીકરી ક્રિષ્નાના લગ્ન 27 ફેબ્રુઆરી 2016 ના રોજ લિંકરોડ સ્થિત નિપ્પનનગરમાં અમિત રમેશ રાણા સાથે થયા હતા.
લગ્નબાદથી જ સાસુ ત્રિગુણાબેન, સસરા રમેશભાઈ, નણંદ ભૂમિકા, મામા સસરા પરેશ ભાઈ અને પતિ અમિત પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા.
સાત વર્ષના લગ્નજીવનમાં તેઓને 5 વર્ષના મિતાંશનું સંતાન સુખ પણ પ્રાપ્ત થયું હતું. સાસરિયાઓ પરિણીતા સાથે કામવાળી જેવું વર્તન કરી મારઝૂડ કરતા હતા.
જેની જાણ પરિણીતાએ તેના પિયરમાં પણ કરી હતી. ગત 22 એપ્રિલે રાતે ક્રિષ્નાએ તેની સાસરીમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. જે અંગે પિતાએ એ ડિવિઝન પોલીસ મથકે પતિ, સાસુ, સસરા, મામા સસરા અને નણંદ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.




