- બીટેકના ચોથા- પાંચમાં વર્ષમાં 800 છાત્રોએ એપ્લાય કર્યુ હતું જેમાં નેવિલ ચૌહાણની થયેલ પસંદગી….
વલસાડ જિલ્લાના ધરમપુરના વતની અને પશ્ચિમ બંગાળની સંસ્થા IIT ખડગપુરના પ્રતિભાશાળી તેમજ તેજસ્વી વિદ્યાર્થીને ટોકિયો જાપાન સ્થિત કંપનીની મળેલી જોબ ઓફરથી ધરમપુરમાં ગૌરવની લાગણી પ્રસરી છે. દેશની પ્રથમ IIT સંસ્થાના વિદ્યાર્થી એવા ધરમપુરના ધર્મુદાદા પાર્કના નેવીલ મનોજભાઈ ચૌહાણની આ સફળતા અહીંના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે પ્રેરણા આપતી સાબીત થઈ રહી છે. ખડગપુર IITમાં બી.ટેક મેકેનિકલના ચોથા વર્ષના અભ્યાસ દરમ્યાન ટોકિયો,જાપાન સ્થિત એસેન્ચર કંપનીએ ઓનલાઈન ઇન્ટરવ્યુના અંતે નેવીલ ચૌહાનને વાર્ષિક રૂપિયા 90 લાખના સેલેરી પેકેજની જોબ ઓફર કરી છે.
નેવીલ ચૌહાણ જણાવે છે કે ખૂબ નામના ધરાવતી અને જાપાનમાં સ્થિત એસેન્ચર કંપનીમાં જોબ માટે બીટેક અને ડ્યુઅલ ડિગ્રીના ચોથા અને પાંચમાં વર્ષમાં અભ્યાસ કરતા 800 વિદ્યાર્થીઓએ એપ્લાય કર્યુ હતું. અને ઓનલાઈન ઇન્ટરવ્યૂમાં આ પૈકી તેની તથા તામિલનાડુની વિદ્યાર્થીની મળી માત્ર બેની પસંદગી થઈ હતી. નેવીલના પિતા મનોજભાઈ ચૌહાણે ધરમપુરમાંથી સૌ પ્રથમ નેવીલ ચૌહાણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી હોવાની ખુશી વ્યક્ત કરી હતી. નેવિલે જણાવ્યુ કે 1 વર્ષ ડ્રોપ બાદ JEEમાં સફળતા મળી હતી તે દૈનિક 10 થી 12 કલાક વાંચન, હાર્ડ વર્ક, કરતો હતો સફળતાં માટે માતા-પિતાની પ્રેરણા તથા IITનું વાતાવરણની મદદ મળી છે. એમ પણ નેવીલે જણાવ્યુ હતુ.