- શિપના આંતરરાષ્ટ્રીય નૂર દરમાં 30 ટકાથી વધુનો ઘટાડો નોંધાતા શિપબ્રેકરો હરખાયા
- છેલ્લા 4 માસમાં 21 જ શિપ અલંગમાં આવ્યા હતા
- 2023માં શિપ રીસાયકલિંગ ઉદ્યોગ માટે વધુ જહાજો આવવાની ધારણા
- શિપ બ્રેકિંગ ઉદ્યોગને મળશે બુસ્ટર ડોઝ
લાંબા સમયથી નિરાશાની ગર્તામાં ધકેલાઇ ગયેલા અલંગના શિપ રીસાયકલિંગ ઉદ્યોગ માટે સારા વાવડ આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય નૂરદર નાટકિય રીતે ઘટવાની સાથે ઇન્ટરનેશનલ શિપ બ્રોકર્સ કેશ બાયરોને રીસાયકલિંગ માટેના જહાજોની પુછપરછ કરી રહ્યા છે, ઉપરાંત જહાજના અંતિમ ખરીદનારો પાસે જહાજની ડિટેલ્સ પણ આવવાની શરૂઆત થઇ ચૂકી છે.
S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સનો નવીનતમ ડેટા દર્શાવે છે કે, માલસામાનની ઘટતી માંગના પરિણામે વૈશ્વિક વેપાર વોલ્યુમ ધીમા હોવાથી નૂર દરમાં ઘટાડો ચાલુ રહ્યો છે, જ્યારે કોવિડ રોગચાળાને કારણે પુરવઠા શૃંખલાના વિક્ષેપો હળવા થવાને કારણે નૂરના દરોમાં પણ ઘટાડો થયો છે, સંશોધન જૂથના જણાવ્યા અનુસાર, કન્ટેનર અને જહાજની માંગમાં પણ ઘટાડો નોંધાયો છે.S&Pએ એક નોંધમાં જણાવ્યું હતું કે, “નબળા કાર્ગો આગમન સાથે, પોર્ટના ભીડના સ્તરમાં ઘટાડો, નૂર દરમાં નોંધપાત્ર ઘટાડો થવા પાછળનું એક મુખ્ય કારણ હતું.'”નબળા વેપાર જથ્થાની અપેક્ષાના આધારે, અમે આગામી ક્વાર્ટરમાં ફરીથી અત્યંત ઊંચી ભીડની અપેક્ષા રાખતા નથી.’કન્ટેનર અને ડ્રાય બલ્કર્સ – અથવા કાચો માલ અને જથ્થાબંધ માલસામાન વહન કરતા જહાજો – માટેના ભાડાના દરો છેલ્લા ત્રણ મહિનામાં ઘટ્યા છે, S&Pએ જણાવ્યું હતું કે, દર બીજા ક્વાર્ટરમાં અપેક્ષા કરતા વહેલા ટોચ પર પહોંચી ગયા હતા.
બજારની મોસમને કારણે, શુષ્ક બલ્ક નૂર દર સામાન્ય રીતે ત્રીજા ક્વાર્ટરમાં ટોચ પર હશે; જોકે, S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સનાં તાજેતરનાં ડ્રાય બલ્ક ફ્રેઇટ માર્કેટ આઉટલૂક અનુસાર, બીજા ક્વાર્ટરમાં 2022 ની ટોચની શક્યતા હશે,’ પેઢીએ જણાવ્યું હતું.
ફર્મના ફ્રેઈટ રેટ ફોરકાસ્ટ મોડલ્સે બાલ્ટિક ડ્રાય ઈન્ડેક્સની પણ આગાહી કરી છે – જે મુખ્ય કાચા માલસામાનને દરિયાઈ માર્ગે ખસેડવાની કિંમત માટેનું એક બેરોમીટર છે – 2024માં સહેજ પુનઃપ્રાપ્ત થાય તે પહેલાં વર્ષ માટે લગભગ 20% થી 30% સુધી ઘટવાની ધારણા છે.આ વૈશ્વિક મંદીના વધતા જોખમોને રેખાંકિત કરે છે કારણ કે જીવનનિર્વાહ અને ફુગાવાના વધતા ખર્ચ વચ્ચે ગ્રાહક માંગ પીછે હઠ કરે છે.આમ વિશ્વમાં આવતા વર્ષે 2023માં મંદીના એંધાણ દેખાય છે પણ આ મંદી અલંગ અને શિય રિસાયકલિંગ ઉદ્યોગ માટે આર્શિવાદ રૂપ નિવડશે કારણ કે મંદીમાં અનેક જહાજો ભાંગવા માટે માર્કેટમાં આવશે.
શિપિંગ ક્ષેત્રે સંકળાયેલા જીતુભાઇ કામદારના જણાવ્યા પ્રમાણે, આંતરરાષ્ટ્રીય નૂરદર ઘટવાની સાનૂકુળ અસર અલંગના શિપ રીસાયકલિંગ ઉદ્યોગને જોવા મળશે. વર્ષ 2023ની શરૂઆતથી ડ્રાય બલ્ક કાર્ગો અને કન્ટેનર શિપ ભાંગવા માટે આવી શકે છે. અત્યારથી થોડો સળવળાટ છે, અને ડિસેમ્બરથી જહાજ વેચાવાના અને અલંગમાં આવવાના શરૂ થઇ શકે છે. અત્યારથી જહાજની વિગતો માટે આંતરાષ્ટ્રીય સ્તરે સળવળાટ જોવા મળી રહ્યો છે. જે અલંગ માટેના સારા સંકેતો આપી રહ્યા છે.




