Home Devotional શિવજીના પ્રિય આભુષણ રુદ્રાક્ષનું મહત્વ અને તેને પહેરવાના નિયમો..

શિવજીના પ્રિય આભુષણ રુદ્રાક્ષનું મહત્વ અને તેને પહેરવાના નિયમો..

0

Published By : Aarti Machhi

હિંદુ ધર્મમાં રૂદ્રાક્ષનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. તે ભગવાન શિવ સાથે સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શંકરના આંસુમાંથી થઈ છે. જેના કારણે રુદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન શિવની કૃપા હંમેશા વ્યક્તિ પર બની રહે છે.

તેને ધારણ કરવાથી વ્યક્તિ બધી પરેશાનીઓથી સુરક્ષિત રહે છે અને તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. વિજ્ઞાનમાં પણ રૂદ્રાક્ષને ખૂબ અસરકારક માનવામાં આવે છે. પરંતુ તેને પહેરતા પહેલા તેના નિયમો જાણી લેવા જરૂરી છે.

  • રૂદ્રાક્ષને કાંડા, ગરદન અને હૃદય પર ધારણ કરવું જોઈએ. તેને ગળામાં પહેરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે
  • કાંડા પર 12 માળા, ગળામાં 36 માળા અને હૃદય પર 108 માળા પહેરવી જોઈએ
  • રુદ્રાક્ષની માળા પહેરતી વખતે ધ્યાન રાખો કે તે હૃદય સુધી અને લાલ દોરામાં હોય
  • રૂદ્રાક્ષ ધારણ કરતા પહેલા ભગવાન શિવને અર્પિત કરવું જોઈએ
  • રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિએ ગુણવાન રહેવું જોઈએ અને પોતાનું આચરણ શુદ્ધ રાખવું જોઈએ.
  • રૂદ્રાક્ષ ધારણ કરવાનો શ્રેષ્ઠ સમય શ્રાવણ માસ અને શિવરાત્રી છે. આ સિવાય તેને સોમવારે પણ પહેરી શકાય છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version