Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratઆસારામને તેના દુષ્કર્મોની સજા મળી…કોર્ટે ફટકારી આજીવન કેદ…

આસારામને તેના દુષ્કર્મોની સજા મળી…કોર્ટે ફટકારી આજીવન કેદ…

આસારામ બાપુએ મહિલા શિષ્યા પર બળાત્કાર ગુજારવાના કેસમાં ગાંધીનગર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આસારામ બાપુ હાલમાં જોધપુર જેલમાં બંધ છે.

વિદ્યાર્થિની પર બળાત્કારનો આ મામલો 22 વર્ષ જૂનો છે. ઑક્ટોબર 2013માં, 2001માં સુરત સ્થિત આશ્રમમાં શિષ્યા પર બળાત્કારના સંદર્ભમાં FIR નોંધવામાં આવી હતી. આસારામની શિષ્ય પીડિતાએ કુલ સાત લોકો સામે આ કેસ દાખલ કર્યો હતો. ત્યારપછી આ કેસની સુનાવણી ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં ચાલી રહી હતી. 29 જાન્યુઆરીએ સેશન્સ કોર્ટે આસારામ બાપુને દોષિત ઠેરવ્યા હતા જ્યારે અન્ય છ આરોપીઓને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે આસારામને કલમ 342, 357, 376, 377 હેઠળ દોષિત ઠેરવ્યા હતા. આ કેસની FIR અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ પછી મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. SITએ જાન્યુઆરી 2014માં આસારામ અને અન્ય છ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં 101 સાક્ષીઓના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા.

આ કેસમાં આજે ગાંધીનગર સેશન્સ કોર્ટે IPC 376 અને 377 હેઠળ આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. ઉપરાંત પીડિતોને રૂપિયા 50 હજાર વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security