Home Bharuch Devotional જાણો કેટલા કરોડમાં તૈયાર થશે અયોધ્યાનું ભવ્ય રામ મંદિર…

જાણો કેટલા કરોડમાં તૈયાર થશે અયોધ્યાનું ભવ્ય રામ મંદિર…

0
  • નિર્માણકાર્ય પાછળ રૂ. 1800 કરોડનો ખર્ચ થવાનું અનુમાન
  • ટ્રસ્ટે આપી સત્તાવાર જાણકારી
  • મહાન સાધુ-સંતોની પ્રતિમાઓને પણ સ્થાન અપાશે

શ્રીરામ જન્મભૂમિ સંકુલમાં ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય હાલ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે અને તે લગભગ ડિસેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જવાનું અનુમાન સેવાઇ રહ્યું છે અને જાન્યુઆરી 2024 (મકરસંક્રાંતિ) સુધીમાં મંદિરમાં ભગવાન રામની પ્રતિમા સ્થાપિત થઇ શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

ફાઈલ ફોટો

શ્રીરામ જન્મભૂમિના બાંધકામ પાછળના ખર્ચ અંગે તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે, ‘જ્યારે મંદિરનું નિર્માણ શરૂ થયું ત્યારે એવું અનુમાન સેવવામાં આવી રહ્યું હતું કે, તેનો ખર્ચ 400 કરોડ આવી શકે છે, પરંતુ 18 મહિના બાદ હવે તેનો ખર્ચ રૂપિયા 1800 કરોડ આવી શકે છે. ‘આ તો રામ મંદિરના બાંધકામની કિંમત અંદાજિત છે, તેમાં હજુ પણ સંશોધન થઇ શકે છે.’

રવિવારના રોજ શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ટ્રસ્ટના ચેરમેન નૃત્ય ગોપાલ દાસ સહિત 10 ટ્રસ્ટીઓ હાજર હતા. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું કે, મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વિશ્વામિત્ર અને મહર્ષિ ઓગસ્ટ સાથે નિષાદરાજ અને માતા શબરી, જટાયુને આદરપૂર્વક પૂજા માટે સ્થાન આપવા માટે ચર્ચા કરાઇ હતી. ટ્રસ્ટના નિયમો પર વિચાર કરવામાં આવ્યો હતો, જેમાં અનેક સ્વરૂપો અને સૂચનો આવ્યા હતા. માર્ગદર્શિકાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. અને સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે કે હિંદુ ધર્મ સાથે સંકળાયેલી મહાન વ્યક્તિઓ અને સાધુ-સંતોની પ્રતિમાઓને પણ રામજન્મભૂમિ સંકુલમાં સ્થાન આપવામાં આવશે.’

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version