નવી દિલ્હી
- એર ઈન્ડીયાના પુર્વ પાયલોટ સહિત 6 આરોપીઓ ઝડપાયા…
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો એનસીબી એ મુંબઈ અને ગુજરાત માથી રૂ 120 કરોડ કરતા વધુ કિંમતના નશીલા દ્રવ્યોને ઝડપી પાડ્યા હતા જેનું વજન 60 કિલો જણાયુ હતુ. આ નશાના કારોબાર અંગે એર ઇન્ડિયાના પુર્વ પાયલોટ સહિત 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા આજે તા.7 ઓક્ટોબરના રોજ નશીલા દ્રવ્યોનો જથ્થો ઝડપાયો હતો. જે અંગે હજી વધુ તપાસ ચાલી રહી છે ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ નશીલા દ્રવ્યોની હેરાફેરી માટે કરવામાં આવ્યો હોય તેવા બનાવો અગાઉ પણ નોંધાયા છે. હાલના દિવસોમાં નશીલા પદાર્થો ની હેરાફેરી અંગે પોલીસ અને એજન્સીઓ કડક વલણ અપનાવી રહ્યા છે.