Home News Update Nation Update PFI નાં ટેરર ફંડ અંગે ગુજરાતમાં પણ તપાસ કરવામાં આવી…

PFI નાં ટેરર ફંડ અંગે ગુજરાતમાં પણ તપાસ કરવામાં આવી…

0
  • 8 શંકાસ્પદો ની અટકાયત કરવામાં આવી…

સમગ્ર દેશમાં PFIના ટેરર ફંડિંગ અંગે દરોડા પાડવામાં આવી રહ્યા છે. તે સાથે ગુજરત રાજ્યમાં પણ PFIની ગતિવધીઓ ચાલતી હોવાની બાબતો સપાટી પર આવતા ગુજરાતમાં પણ તપાસ એજન્સીઓ દ્વારા તપાસની કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાત રાજયના અમદાવાદ, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતના નવસારી પાસેના વિવિઘ વિસ્તારોમાં એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. મળતી માહીતી મુજબ સાતથી આઠ જેટલા શકમંદોને ATSની કચેરી ખાતે પુછપરછ માટે લાવવામાં આવ્યા હતા. NIA એટલે કે રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા તપાસ કરતી હોવાની જાણ થતાંની સાથે જ તાત્કાલિક ગુજરાત ATS પણ હરકતમાં આવી હતી શકમંદોમાં એવાં
શકમંદોનો પણ સમાવેશ થાય છે જેઓએ સોશીયલ મીડિયામાં એન્ટી નેશનલ પોસ્ટ મૂકી હતી. જૉકે હજી આવનાર દિવસોમાં પણ NIA અને ATS ઘ્વારા PFI અંગે વધુ તપાસ કરવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version