વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે આદમપુર એરપોર્ટ પહોંચ્યા હતા. કેબિનેટ મંત્રી બ્રહ્મશંકર જિમ્પા, મુખ્ય સચિવ વિજય કુમાર ઝંઝુઆ અને ડીજીપી ગૌરવ યાદવે તેમનું સ્વાગત કર્યું. પીએમ અમૃતસરમાં બિયાસ રાધા સ્વામી સત્સંગ પહોંચ્યા બાદ અહીંથી સીધા સંપ્રદાયના વડા બાબા ગુરિન્દર સિંહ ધિલ્લોનને મળ્યા હતા. પીએમ અને ડેરા બિયાસ ચીફ વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત થઈ.મોદીએ શુક્રવારે ટ્વિટ કર્યું હતું કે, “બાબા ગુરિન્દર સિંહ ધિલ્લોન જીના નેતૃત્વ હેઠળ, RSSB ઘણા સમુદાય સેવા પ્રયાસોમાં મોખરે છે.” રાધા સ્વામી સત્સંગને ડેરા બાબા જૈમલ સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અમૃતસર શહેરથી લગભગ 45 કિમી દૂર બિયાસ શહેરમાં આવેલું છે. સમગ્ર દેશમાં અને ખાસ કરીને પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં તેના અનુયાયીઓ છે.